જમ્મુના હીરાનગરમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભારત વિજય શંખનાદ રેલીને સંબોધન કર્યુ.મોદીએ જનતાના પ્રેમને વ્યાજ સહિત પાછો આપવાનો વાયદો પણ કર્યો.સાથે જ કહ્યું કે કોંગ્રેસમાં પાપનો હિસાબ આપવાની હિંમત નથી.

જમ્મુના હીરાનગરમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદી આક્રમક રૂપમાં જોવા મળ્યા.મોદીએ ભારત વિજય શંખનાદ રેલીને સંબોધન કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડેહાથ લીધા.મોદીએ માતા વૈશ્નોદેવીના દર્શન કરી રેલીને સંબોધન કર્યુ હતું.મોદીએ દેશમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પર નિશાન તાક્યું.તો સાથે જ કહ્યું કે સરકારને કાશ્મીરી વિસ્થાપિતોની કોઈ ચિંતા નથી.કાશ્મીરમાં મોદીએ જવાનોની હત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો.મોદીએ કહ્યું કે જય જવાન જય કિસાનનો નારો બદલાઈ ગયો છે.કોંગ્રેસનો નારો છે કે મર જવાન, મર કિસાન.સાથે જ મોદીએ કહ્યું કે વિકાસ જોઈતો હોય તો વિકલ્પ એક જ છે ભાજપ.