ગીરના જંગલમાં શાકાહારી પ્રાણીઓની સંખ્યામાં 8 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં જ ગીરના જંગલમાં તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં આ વધારો દેખાયો છે.

ગીરના જંગલમાં શાકાહારી પ્રાણીઓની સંખ્યામાં આઠ ટકાનો વધારો નોંધાયો છે. ખાસ વાત એ છે કે, છેલ્લા 3 વર્ષમાં આ વધારો જોવા મળ્યો છે. ગીરના જંગલોમાં ગીર વન અને મહેસૂલ વિભાગના સંયુક્ત ગણતરી અભિયાનમાં આ ખુશીના સમાચાર બહાર આવ્યા છે. ગણતરી પ્રમાણે જંગલમાં 18.40 ટકા પ્રાણીઓમાં વધારો થયો છે. વર્ષ 2014માં શાકાહારી પ્રાણીઓની ગણતરીમાં જુનાગઢ વન વિભાગે અલગ અલગ રૂટો પર ટીમો બનાવી હતી. જેમાં રોડ સાઈડ કાઉન્ટર પદ્ધતિ પ્રમાણે સમગ્ર જંગલને આવરી લેવામાં આવ્યું હતું.