વડોદરાના બગલામુખી મંદિરનો ઠગ મહારાજ આખરે પોલીસ તપાસમાં ભાંગી પડયો છે અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તંત્ર મંત્રના નામે સુવર્ણના યંત્રો બનાવી ઠગાઈ કરવાના કેસમાં પકડાયેલા બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક મહિલા અનુયાયીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં મહિલાએ પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવી સમાધાનના બહાને પ્રશાંત ગુરૂએ રૂ.10.41 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. જે ગુનામાં ગોત્રી પોલીસે પ્રશાંત ગુરૂની
ધરપકડ કરી છે.
પોલીસે ગઈકાલે પ્રશાંતને આવકના સાધનો તેમજ જડીબુટ્ટીઓ આપવા બાબતે સવાલો પૂછયા હતા તેમજ તેના આશ્રમે પણ જબરજસ્તીથી લઈ જવાયો હતો. પોલીસની તપાસમાં
સહકાર નહીં આપતો પ્રશાંત મહારાજ લગભગ પડી ભાંગ્યો છે. ગઈરાત્રે પ્રશાંતે છાતીમાં દુખાવાની અને વોમિટિંગની ફરિયાદ કરતાં તેને સયાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં
પાખંડી પ્રશાંત પોલીસ તપાસમાં ભાંગી પડ્યો, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ ભેગો કરાયો was originally published on News4gujarati