• આણંદપરના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યા બાદ
  • આજુબાજુના ગામલોકો મોટી સંખ્યામાં દોડી આવ્યાઃ વાવેતર વખતે સારા ભાવ હતા ઉત્પાદન વખતે દસ રૂપિયાના દોઢ કિલો

કોઈ પણ પાકના વાવેતર પહેલા સારા ભાવ બોલાતા હોય છે. જયારે પાક તૈયાર થઈને ખળામાં આવે ત્યારે ભાવ નીચા જતા હોય છે. સારૂ ઉત્પાદન હોવા છતા બજારમાં સારા ભાવ મળતા હોતા નથી પરિણામે ખેડૂતોની મહેનત માથે પડતી હોય છે અને નિરાશા સિવાય કાંઈ સાંપડતુ નથી. ત્યારે, નખત્રાણા તાલુકાના સાંયરા(યક્ષ) ગામે ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યુ હતુ પરંતુ સારા ભાવ ન મળતા મફતમાં આપ્યા હતા.

હાલ ટમેટાના પાકમાં ખેડૂતોની પરિસ્થિતી દયનીય હાલતમાં જોવા મળી રહી છે. નખત્રાણા તાલુકાના સાંયરા યક્ષના ખેડૂતો શંકરભાઈ વાસાણી અને મનોજભાઈ વાસાણીએ આઠ એકરમાં ટામેટાનું વાવેતર કર્યુ હતુ. વગર સીઝને ટમેટાના ભાવ ૫૦થી ૬૦નો બોલાતો હતો. આ ભાવ જોઈને ખેડૂતોએ મોટા પાયે વાવેતર કરી નાખ્યુ હતુ પરંતુ ભાવ ગગડતા હોલસેલ એક રૂપિયાથી બે રૂપિયા ભાવ થતા ખેડૂતોને વીણવા તેમજ માર્કેટમાં પહોંચાડવાનો ખર્ચ વધી જતા તેમજ ફેરિયાઓ દસ રૂપિયાના દોઢ કિલો વેંચતા ખેડૂતોને નુકશાની વેઠવી પડે તેમ હતી. પરિણામે, આ ખેડૂતોએ હવે કોઈ ફાયદો નહિં થાય એમ માનીને મફતમાં વાડીએથી ટમેટા લઈ જવાનું કહેતા આજુબાજુના ગામ લોકો વાડીએ આવીને ટમેટા વીણવા આવી પહોંચ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, કમોસમી વરસાદ સહિતના કારણોને લઈને ખેડૂતોને આર્થિક નુકશાની સહન કરવી પડતી હોય છે. ત્યારે, ભાવ વધારા સહિતની બાબતોને લઈને બાગાયતી પાકમાં પણ નુકશાની સહન કરવાનો વખત ખેડૂતોને આવતો હોય છે.

પુરતા ભાવ ન મળતા ખેડૂતોએ લોકોને મફતમાં ટમેટા વીણી લેવાનું કહી દીધુ was originally published on News4gujarati