દેશમાં કોરોના વાઇરસના ત્રણ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની કૂલ સંખ્યા 43એ પહોંચી ગઇ છે. જોકે, ત્રણ 3 સંક્રમિત દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્ર્યાલ્યના અધિકારીઓએ સોમવારના રોજ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાંથી એક-એક કેસ સામે આવ્યાં છે. સાથે જ તે પણ જણાવ્યું કે અત્યાર સુધી કોઇના મોતના અહેવાલ સામે આવ્યાં નથી.
ઇટાલીના પ્રવાસેથી પરથ ફરેલા કેરળના 3 વર્ષીય બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને એર્નાકુલમ મેડિકલ કોલેજમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના કારગિલમાં ઇરાનાથી પરત ફરેલી 83 વર્ષીય એક મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
કેરળમાં રવિવારના રોજ કોરોના વાઇરસના પાંચ નવા કેસ સામે આવ્યાં હતા. તેમાંથી ઇટાલીમાંથી આવેલા ત્રણ લોકો સામેલ હતા જે સ્ક્રીનિંગથી બચી નીકળ્યા હતા. ત્યાર બાદ સરકારે રવિવારના રોજ ફરીથી આ બીમારીને લઇને એલર્ટ જારી કર્યું હતી અને પ્રભાવિત દેશના પ્રવાસેથી ફરેલા લોકો જે પોતાનો રેકોર્ડ છુપાવાનો પ્રયત્ન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. કેરળમાં વહિવટી તંત્રએ પોતાના પ્રવાસનો રેકોર્ડ છુપાવનારા સામે આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, પોઝિટિવ કેસની સંખ્યા 43એ પહોંચી was originally published on News4gujarati